Wednesday, August 27, 2014



હિંદુ માતા પિતાઓ એ ભારતનો સાચો ઈતિહાસ જાણવો પડશે. અંક-૧
                 હું વિદ્યાર્થી હતો ત્યારે મને ઈતિહાસ એ વિષય ખાસ ગમતો નહિ કારણ હતું ઐતિહાસિક ઘટનાઓની તારીખો યાદ રાખવાની સમસ્યા. આપણી પરિક્ષા પદ્ધતિમાં ગળેલું પૂરેપૂરું જેમનું તેમ ઓકી બતાવવાનું મહત્વ વધુ હોવાથી ઈતિહાસ ખરેખર શા માટે જાણવો જરુરી છે તેનું મહત્વ ગૌણ બની જાય છે. આમ તો છેક હમણા સુધી મને ઇતિહાસમાં કોઈ ખાસ દિલચસ્પી ના હતી. પરંતુ થોડા સમય પહેલા ફેસબુક પર મેં એક પોસ્ટ જોઈ જેમાં રાજીવ મલ્હોત્રા દ્વારા લિખિત એક પુસ્તક (Breaking India-Western Interventions in Dravidian and Dalit Fault lines)  નો ઉલ્લેખ જોયો. પુસ્તકના શીર્ષકમાં “બ્રેકીંગ ઈંડિયા” અને “દ્રાવીડીયન” એ શબ્દોએ મારું કુતુહલ વધાર્યું. ઇતિહાસમાં મને ખાસ રસ નહી હોવા છતાં જે કાંઈ પ્રાથમિક-માધ્યમિક કક્ષાએ ભણવામાં આવતું તેમાં આર્યન-દ્રાવીડીયન થીયરી મને ક્યારેય હજમ થતી નહિ કેમકે હિંદુ હોવાના કારણે આ થીયરીનો સ્વીકાર કરવો તેનો અર્થ એમ થાય કે હું પણ અહીની સ્થાનિક પ્રજાને કચડીને પોતાનું સામ્રાજ્ય સ્થાપનારા વિદેશી આર્યો નો વંશજ છું (આડકતરી રીતે જુલ્મીઓનો વંશજ) એવું સ્વીકારવું પડે પરિણામે જન્મથીજ મારા આ રાષ્ટ્ર ભારત પ્રત્યે જે મારા મનમાં પોતાપણાનો ભાવ છે તેના પર જ કુઠારઘાત થતો હતો. રાજીવ મલ્હોત્રાનું આ પુસ્તક વાંચતા એ ખ્યાલ માં આવ્યું કે અંગ્રેજ અને અમરિકન ઈતિહાસકારો આજ હીનતાની ભાવના હિંદુઓમાં પેદા કરવા માગતા હતા જેથી અંગ્રેજોના ભારતમાં આગમન અને ભારતની પ્રજા પર કરેલા શાસનને ન્યાયોચિત ઠરાવી શકાય (આર્યો-હિંદુઓ જ જ્યારે આ દેશમાં બહાર થી આવ્યા છે તો અમે શું ખોટું કર્યું ?) અને ભવિષ્યમાં હિંદુઓ આ હીનતાની ભાવાનામાથી  ઉગરવા બિનસાંપ્રદાયકતા નું તુત પકડી લે અને આ દેશ આલિયા માલિયા જામલીયા સર્વ ની ધર્મશાળા બની જાય અને હિંદુઓ પોતાનાજ દેશમાંથી પોતાનું રાજકીય પ્રભુત્વ ગુમાવી બેસે. ભારતની આઝાદીની ચળવળનો ઈતિહાસ જોઈએ તો એ પણ જણાઈ આવે છે કે આ તુત પકડાવવાનો કાર્યક્રમ પણ ૧૯૪૭ પહેલાજ લોન્ચ કરી દેવાયેલો. પ્રાથમિક-માધ્યમિક શીક્ષણનાં એ દિવસોમાં આ થિયરીઓની સત્યતા-અસત્યતાની કડાકુટમાં પડવાની સ્પષ્ટ  સમજ ન હતી. સ્પષ્ટ સમજ માત્ર એકજ-પાસીંગ માર્ક્સ. મૂળ વાત પર આવીયે. આર્યન-દ્રાવીડીયન થીયરીના અસ્વીકારના જે વાયરસ નાનપણમાં મગજમાં ઘુસી ગયેલા તે રાજીવ મલ્હોત્રાના પુસ્તકનાં શીર્ષકમાંના દ્રાવીડીયન શબ્દથી ફરી સક્રિય થયા અને એવું લાગ્યું કે આ પુસ્તકમાં આ થીયરી વિષે કાંઈક રીસર્ચ આધારિત વિગતો હશે તેથી પુસ્તક મેળવી વાંચવાનું ચાલુ કર્યું.
               
              હવે  હું એ જણાવીશ કે મારા મતે હિંદુ માતા-પિતાઓએ શા માટે ભારતનો સાચો ઈતિહાસ જાણવો પડશે ?
              પ્રથમ કારણ છે હિંદુ ધર્મમાં ધર્મ પાલન માટે રહેલું આંતરિક સ્વાતંત્ર્ય. આ કારણ થી તમારા બાળક માટે કોઈ એક ચોક્કસ ધર્મ ગ્રન્થનું નિયમિતપણે પઠન-પાઠન ફરજીયાત નથી. કોઈ ચોક્કસ દિવસે/સમયે કોઈ ચોક્કસ પૂજા/આસ્થાના સ્થળે જઈ ચોક્કસ પદ્ધતિથી પૂજા/અર્ચના કરવી ફરજીયાત નથી ટુકમાં તમારી પાસે મદરેસા કે ચર્ચ જેવી કોઈ વ્યવસ્થા નથી. તમને આશ્ચર્ય થશે કે ઈતિહાસ શીખવાની વાતને ધર્મ સાથે શી લેવા-દેવા ? પરંતુ પંડિતો અને વિદ્વાનો ગમે તેવી ડાહી ડાહી વાતો કરતા હોય તો પણ વાસ્તવિકતા તો એ જ છે કે ધર્મ, ઈતિહાસ અને રાજકારણ બધું યુગોથી  એકબીજામાં ગુથાયેલું જ છે અને આખા વિશ્વમાં બધા દેશોમાં કોઈ એક પ્રમુખ ધર્મ ધરાવતી પ્રજાનું જે તે દેશ પર રાજકીય પ્રભુત્વ હોય છે માત્ર ભારતના કિસ્સામાં કેટલાક વિદેશી તત્વો આવું શક્ય થવા દેવા માગતા નથી અને તેમની આ ગંદી રમત ને શક્ય બનાવવા તેમણે તમારા ઈતિહાસ સાથે એવા ચેડા કર્યા છે કે જેથી કરીને તેમને તેમની ગંદી રમત રમવામાં સ્થાનિક ખેલાડીઓ  મળી રહે. આવા તત્વોનો ખુબજ સ્પષ્ટ અને બેવડો હેતુ એ છે કે પ્રથમ તો આ દેશની બહુમતી પ્રજા હિંદુ છે તે આ દેશ પર થી રાજકીય સત્તા પર ની પકડ ગુમાવી બેસે અને તેમ થાય તો પછી તેમના ધર્મના પ્રચાર પ્રસારનો મુખ્ય ઉદ્દેશ સિદ્ધ કરવાનું  આસાન થઇ જાય. આપણે કે આપણા બાળકો અજાણતામાં આ ગંદી રમતના ખેલાડીઓ ના બની જઈએ તેની કાળજી લેવા અને લાંબા ગાળે હિંદુ ધર્મનું સદંતર નિકંદન ન નીકળી જાય તેવું આપણે ઈચ્છતા હોઈએ તો એ લોકોએ આપણા ઈતિહાસ સાથે કેવા ચેડા કર્યા છે તે જાણી લેવા જરૂરી છે.         
.................વધુ આવતા અંકે

No comments:

Post a Comment